લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ કે બીજા કોઈ પ્રસંગ સમયે, હોસ્પિટલમાં દાખલ હોવ ત્યારે, ઓફિસ માં જોડે કામ કરતા જુનિયર / સિનિયર કે તમારે કોઈ મુશ્કેલીના સમયે જો કોઈ એમ કહે કે …
- કંઈ કામ હોય તો કહેજો
- હું ક્યાં મદદ કરી શકું આ માં એ કહે જો
મારા મત પ્રમાણે આવા માણસોને ક્યારેય કશું કહેવું નહિ કે આ કામ કરી દે. આ બધા બોલવામાં કે બતાવામાં જ શૂરવીર હોય છે, બાકી થાય કશું નહિ આ લોકો થી.
પ્રસંગમાં આવ્યા હોય ને કામ કરવા વાળા માણસો સીધા રસોડામાં પહોંચી જાય અને શાક સમારવા લાગે કે પછી 2 ટાઈમ ભોજન પીરસવા લાગે. એને બધું ખબર હોય કે ક્યાં શું કામ બાકી છે અને હું શું કામ કરી આપું.